જામનગર સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ...

|

Added news for notification testing

પ્રાણીઓના સંવર્ધન, રક્ષણ,સારવાર માટેના વિશ્વકક્ષાના 'વનતારા'ની જાહેરાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અનંત અંબાણી દ્વારા

ફાઉન્ડેશન બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીએ વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે વનતારાનો હેતુ ભારતના તમામ ૧૫૦થી વધુ પ્રાણી સંગ્રહાલયોને તાલીમ, ક્ષમતા નિર્માણ અને કાળજી માટે ઓથોરિટી સાથે ભાગીદારી કરવાનો છે

જામનગર તા. ૨૭ઃ રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ વનતારાની જાહેરાત કરી હતી. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ  વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર ૩૦૦૦ એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ૩૦૦૦-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૃપાંતરિત કરી છે.

ભારતની અનન્ય વનતારા પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. શ્રી અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્ત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે, અને તે ક્ષમતામાં, ૨૦૩૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે.

વનતારા અત્યાધુનિક આરોગ્ય સંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ  ધ્યાન કેન્દ્રિત કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં ૨૦૦ થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.

તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૃ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીરરીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્ત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતરાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને  અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે. વનતારાનો હેતુ ભારતના તમામ ૧૫૦-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતાનિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.

વનતારાની સ્થાપના માટે તેમને પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા શ્રી અંબાણીએ જણાવ્યું કે, વનતારા એ આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી વ્યાવસાયિકતાની શ્રેષ્ઠતા સાથે કરુણાના વર્ષો જૂના નૈતિક મૂલ્યનું સંયોજન છે. હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું.

વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.

એલિફન્ટ સેન્ટર

વનતારામાં હાથીઓ માટેનું સેન્ટર ૩૦૦૦ એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર ૨૦૦થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત ૫૦૦થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.

આ સેન્ટર પાસે ૨૫,૦૦૦ ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરૃરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.

આ સેન્ટર પાસે ૧૪૦૦૦ ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે.

આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.

રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર

સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે ૩૦૦૦ એકર પરિસરમાં ૬૫૦ એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે.

આશરે ૨૧૦૦થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રીહેબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ ૨૦૦ દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી ૧૦૦૦થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રે આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.

આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ, સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે. ૪૩ પ્રજાતિઓના ૨૦૦૦થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે. આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૃ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય.

આજે વનતારા ઇકોસિસ્ટમે ૨૦૦ હાથીઓ, ૩૦૦થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, ૩૦૦થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને ૧૨૦૦થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.

રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ

બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૃલ્સ, ૨૦૦૯ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, ૧૯૭૨ હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ /મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના એક્સચેન્જને હાથ ધરવામાં આવે છે. ભારતમાંની તેમજ વિદેશની અન્ય સંસ્થાઓ તરફથી મળતી એક્સચેન્જની વિનંતીઓને પણ વનતારાએ પ્રત્યુત્તર આપ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૃરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ

વેનેઝુએલન નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને તેમજ સ્મીથસોનિયન અને વર્લ્ડ એસોસિએશન ઓફ ઝૂસ એન્ડ એક્વારિયમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાઈને વનતારા પ્રોગ્રામને અપ્રતિમ લાભ મળ્યો છે. ભારતમાં, તે નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે.

શિક્ષણ અને જાગૃતિ

લોકોમાં, ખાસ કરીને યુવાઓ અને બાળકોમાં પશુ સંવર્ધનના મુદ્દે જાગૃતિ વધે તે માટે, વનતારા પહેલ હેઠળ જ્ઞાન અને સંસાધનોના એક્સચેન્જ સહિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે નિકટતાથી સહકાર સાધવા ઉપર પણ મહત્તમ ભાર મૂકાય છે. તેના હેઠળ આધુનિક અને ફ્યુચરિસ્ટિક, હવામાન નિયંત્રિત બંધ ભાગમાં અમુક પ્રાણીઓ માટે જોવાના સ્થળની રચના કરાઈ છે, જેના પગલે કરુણા અને કાળજીના કાર્યમાં નવા માપદંડો સ્થાપિત કરાયા છે.

ગ્રીન એરિયા

વનતારા પ્રાણીઓનું રેસ્ક્યુ (ઉગારવા) અને કન્ઝર્વેશન (સંવર્ધન) એ એકબીજાનાં પૂરક બને તે રીતે આગળ વધવામાં દૃઢપણે માને છે અને વનતારા પ્રોગ્રામ હેઠળ રિલાયન્સ રિફાઈનરીના વિસ્તારોને હરિયાળા બનાવવાનું કાર્ય આગળ ધપાવવાની પરિકલ્પનાને સાકાર કરાઈ રહી છે, તે મુજબ અત્યાર સુધીમાં હજારો એકર જમીનને હરિયાળી બનાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શ્રીકૃષ્ણના સમયમાં પણ બેટ દ્વારકાને તળ ભૂમિ આરંભડા સાથે જોડતો 'સમુદ્ર સેતુ' હતો

હાલારના ઈતિહાસવિદ્ - સંશોધકનું રસપ્રદ તારણ

ભગવાન દ્વારકાધિશ જ્યારે દ્વારકામાં રાજ કરતા હતા ત્યારે હાલનું દ્વારકા તેમના રાજ વહિવટ માટેની રાજધાની એટલે કે કર્મભૂમિ હતી જ્યારે તેમનું નિવાસ્થાન અને પરિવારજનો બેટ દ્વારકામાં રહેતા હતા. તેથી ભગવાન દ્વારકાધિશ બેટ દ્વારકા (ખરૂ નામ બેટ શંખોદ્વાર છે) થી આજના દ્વારકામાં આવેલી વહીવટીભવન (કચેરીઓ)માં રાજવહિવટ માટે દરરોજ આવ-જા (અપડાઉન) કરતા હોવાનું સ્વભાવિક અનુમાન થઈ શકે.

તેમના સમયમાં પણ બેટ દ્વારકા અને હાલના ઓખા-આરંભડા વચ્ચે સમુદ્ર આવેલો હતો. તેથી બેટ દ્વારકાને તળભૂમિ સાથે જોડતો એક વિશાળ બ્રિજ-પુલ તે સમયે પણ બાંધવામાં આવેલ હતો. જે 'સમુદ્રસેતુ' તરીકે ઓળખાતો હતો. જેનો ઉપયોગ તે સમયમાં પણ વાહન-વ્યવહાર અને પગપાળા જતા રાહદારીઓ માટે જવા-આવવા માટે થતો હતો.

આ સમુદ્ર સેતુ બ્રિજ સદીઓ પુર્વે જ નષ્ટ થઈ ગયો હતો. હાલ તળભૂમિમાં આવેલા આરંભડા (જયાંથી તળભૂમિ)નો આરંભ થાય તેવું સ્થળ એટલે આરંભડા) ના કિનારા અને બેટ દ્વારકાના કિનારા વચ્ચે આવેલા સમુદ્રમાં આ સમુદ્ર સેતુ બ્રિજના પીલરના અવશેષો રૂપે ટેકરાઓ આજે પણ જોવા મળે છે. જે લાઈનબદ્ધ એક બીજાને સમાંતર અને ચોક્કસ અંતરો વચ્ચે આવેલા હોવાનું જણાય છે.

ભગવાન દ્વારકાધિશના શાસનકાળ બાદ કોઈ ભયાનક સુનામી કુદરતી આફત આ વિસ્તારમાં આવતા તે સમયની પ્રાચિન દ્વારકાનગરી જે હાલની દ્વારકાના દરિયા કિનારાથી અંદાજે ૯ થી ૧૦ કિલોમીટર દૂર હતી તે દરિયામાં અંદાજે ૯૦ ફૂટ જેટલી ઉંડાઈ ધરાવતા દરીયામાં ડૂબી ગયેલ છે. તેથી આજ કુદરતી હોનારતની લપેટ બેટ દ્વારકા સુધી પહોંચતા આ સમુદ્ર સેતુ બ્રિજ-પુલ પણ તે આફતો ભોગ બની નાશ પામ્યો હશે તેમ જણાય છે.

ખરેખર તો આ બાબત ઉડા ઐતિહાસિક સંશોધનનો વિષય છે. જે બાબતે હાલના અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા સંશોધન અને પરિક્ષણો કરવામાં આવે તો આપણે દ્વારકા તથા બેટ દ્વારકા અંગેની ઘણી બધી ઐતિહાસિક હકિકતો જાણી શકીએ તેમ છીએ.

 આલેખન-રજુઆત

ભૂપતસિંહ કે. ચૌહાણ

પ્રમુખ સૌરાષ્ટ્ર કલ્ચર એન્ડ હેરીટેજ કેર ટ્રસ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તંબોલી પરિવારની જામનગરમાં ગૌરવપૂર્ણ સફરઃ ૯૯ વર્ષ પૂરા કરી ૧૦૦માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ

ચાર-ચાર પેઢીઓથી પેટ્રોલીયમ પ્રોડકટસના બિઝનેશ સાથે સંકળાયેલા

જામનગર સ્ટેટના સમયથી છેલ્લા એકસો વર્ષથી જામનગરના તંબોલી પરિવારની ચાર-ચાર પેઢીઓએ પેટ્રોલીયમ પ્રોડકટસના બિઝનેસમાં સન્માનજનક સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે.

ઇ.સ. ૧૯૨૫ થી ઇ.સ. ૨૦૨૪ સુધી તંબોલી પેટ્રોલીયમનું નામ સમગ્ર હાલાર તથા મોરબીમાં સુવિખ્યાત છે, તંબોલી પરિવારે લોકોમાં સુદ્રઢ વિશ્વાસ સંપાદન કરી આ પ્રતિષ્ઠાને આજપર્યંત જાળવી રાખી છે.

તંબોલી પરીવારના મોભીઓ છગનભાઇ તંબોલી તથા ત્રિભોવનભાઇ તંબોલીએ તેમની યુવા વયે તેમના બિઝનેસની કારકિર્દી નવાનગર સ્ટેટ (જામનગર)માં સૌપ્રથમ પેટ્રોલ પંપ અને પેટ્રોલીયમ પ્રોડકટસના ડીસ્ટ્રીબ્યુશન સાથે શરુ કરી હતી, તેઓએ તે સમયે એક્સપ્લોઝીવ લાયસન્સ નંબર જીજે/એચએએલ/૧ મેળવી આ બિઝનેસ યાત્રા યુએસ બેઇઝ્ડ કંપની સોકોનીની ફ્રેન્ચાઇઝી સાથે શરૃ કરી હતી.

તે સમય ગાળામાં બળદ ગાડામાં પેટ્રોલના બેરલથી પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ લાવવામાં આવતું હતું અને પેટ્રોલ લીટરમાં નહીં પણ ગેલનના માપથી મળતું તેમજ ગેલનના માપીયાથી મોટરકારમાં ભરવામાં આવતું હતું. આ ઉપરાંત તંબોલી પરીવાર દ્વારા કેરોસીનની ટીનમાં આયાત કરી તેનું નવાનગર સ્ટેટમાં વેંચાણ કરવામાં આવતું હતું.

મુરબ્બી છગનભાઇ તંબોલીની અચાનક વિદાય પછી તેઓના ભાઇ ત્રિભોવનભાઇએ વર્ષ-૧૯૪૦માં સ્ટાન્ડર્ડ વેક્યુમ ઓઇલ કંપની સાથે જોડાણ કરી જામનગરમાં વધુ એક પેટ્રોલ પંપ શરૃ કર્યો હતો.

ત્રિભોવનદાસ તંબોલીના સુપુત્રો હિમતલાલ ત્રિભોવનદાસ તંબોલી અને સુભાષચંદ્ર ત્રિભોવનદાસ તંબોલી આ બિઝનેસમાં સક્રિય થયા અને મોરબીમાં ઇ.સ. ૧૯૫૬માં પેટ્રોલ પંપ શરૃ કર્યો હતો.

એચપીસીએલ કંપનીના કસ્ટમર સર્વિસના સંદર્ભમાં તંબોલી બ્રધર્સ (તંબોલી ગ્રુપ)ને ડીલર તરીકે ૫૦ વર્ષ સુધી ઉત્તમ પ્રદર્શન કરવા બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ત્રિભોવનદાસ તંબોલીના સુપુત્રો અરવિંદભાઇ, અનિલભાઇ, મુકુન્દભાઇ તથા તરૃણભાઇ પણ બિઝનેસ જોડાયા હતા. આ સમયે તંબોલી ગ્રુપ દ્વારા જામનગર અને મોરબીમાં ત્રણ પેટ્રોલ પંપ અને એસકેઓની એજન્સી કાર્યરત હતા.

૧૯૭૦માં ત્રિભોવનદાસ તંબોલીના નિધન પછી તેમની આ પ્રતિષ્ઠાસભર યાત્રાને તેમના યુવાન પુત્રોએ અન્ય ધંધા શરૃ કર્યા અને તેનું વિસ્તૃતિકરણ કર્યુ હતું.

ત્રિભોવનદાસ તંબોલીએ સોકોની, સ્ટાન્ડર્ડ વેક્યુમ ઓઇલ કંપની, એસ્સો અને ત્યારપછી હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ સાથે બિઝનેસ શરૃ કર્યો હતો. તંબોલી ફેમીલી આજે પણ ત્રિભોવનદાસ તેજપાલ તંબોલીના આદર્શો અને ચોક્કસ નીતિમત્તા સાથે કાર્યરત છે.

આજે ત્રિભોવનદાસ તંબોલીના પૌત્રો દ્વારા જામનગરમાં ખંભાળીયા જતાં માર્ગે (તંબોલી પેટ્રોલીયમ) તથા મોરબી શહેરમાં (હિમ્મતલાલ એન્ડ બ્રધર્સ)અને એસકેઓ ડીલરશીપ (તંબોલી બ્રધર્સ) અને વડોદરા જિલ્લાના પાદરામાં અમી તંબોલી ફયુઅલ્સના નામે બિઝનેસ કાર્યરત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જ્યારે એકપણ દાંત ન હોય ત્યારે સારવારની પસંદગી કેવી રીતે કરવી ?

કુદરતે આપણને બત્રીસ દાંતની ભેટ આપી છે. વર્ષોના વર્ષો સુધી આ દાંત આપણને સાથ આપે છે. જેમ સારસંભાળી સારી એમ દાંત વધુમાં વધુ વર્ષો સુધી ટકે છે.

આજે આપણે વાત કરવાની છે, જયારે એક પણ દાંત ન રહે ત્યારે સારવારની પસંદગી કેવી રીતે કરવી. એ માટે પહેલા એ સમજીએ કે દરેક દાંતના બહાર દેખાતા ભાગને (મુગટ) અને અંદર પેઢા-હાંડકામાં રહેતા ભાગને રૃટ (મૂળ) કહેવામાં આવે છે.

ઈમ્પ્લાન્ટ એક માત્ર એવી સારવાર છે કે, જેમાં કુદરતી દાંતની રચના મુજબ કામ કરી શકાય. માટે સૌથી પહેલો વિકલ્પ એ પસંદ કરી શકાય જેમાં ઈમ્પ્લાન્ટના આધારે ફિકસ દાંત આપવામાં આવે. કુદરતી દાંત જેવો જ દેખાવ અને ચાવવાની સગવડ હોવાને લીધે આ વિકલ્પ ઉત્તમ ગણી શકાય. શરીરની તંદુરસ્તી માટે શકય હોય ત્યાં સુધી આ વિકલ્પ જ પસંદ કરવો.

બીજો વિકલ્પ છે, ઈમ્પ્લાન્ટનો આધાર લઈ ચોકઠું બેસાડવું, આ વિકલ્પમાં ફિકસ દાંત જેટલી સગવડ ન હોવા છતાં ચોકઠું હલનચલન ન કરે એટલી સગવડ મળતી હોવાથી ફાવટ આવતા વધુ સમય નથી લાગતો. ફિકસ દાંતના પ્રમાણમાં ઓછો ખર્ચ હોવા સામે આ પ્રકારનું ચોકઠું સાફ કરી બહાર કાઢવાની જરૃર રહે છે.

ત્રીજો વિકલ્પ છે કાઢી અને પહેરી શકાય એવું ચોકઠું. સૌથી ઓછા ખર્ચ વાળો વિકલ્પ હોવાથી અહીં બાકીના બે પ્રકાર જેટલી સગવડ નથી મળતી. ઉપરનું ચોકઠું સામાન્ય રીતે જલદી ફાવી જાય છે. નીચેનું ચોકઠું મોઢામાં હલતું રહે છે. ફાવતા સમય લાગે છે. દેખાવ અને ચાવવાની પ્રક્રિયામાં ઉપરના બે વિકલ્પો જેટલું અસરકારક ન હોવાથી ચોકઠું પસંદગીમાં સૌથી છેલ્લે આવે છે.

દરેક વિકલ્પો જ્યારે એક પણ દાંત ન હોય ત્યારે સારવાર નક્કી કરવા માટે છે. કુદરતી દાંતની સારસંભાળ સૌથી સારો વિકલ્પ છે અને હંમેશાં રહેશે. વધુમાં વધુ વર્ષો સુધી કુદરતી દાંત સાથે જીવી શકાય એ માટે વર્ષે એકવખત રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું સલાહભર્યું છે.

આલેખન: ડો. કેતન કારિયા

ચેરમેનઃ કમ્યુનિટી હેલ્થ કમિટીઃ જામનગર ડેન્ટલ એસોસિએશન

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪.૪પ લાખ આભા કાર્ડ ઈશ્યુઃ પ્રત્યેક નાગરિક કઢાવે

આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ વિષે જાણો...

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યવિષયક સેવાઓને વધુ સુદૃઢ, તાત્કાલિક અને અસરકારક બનાવવા માટે આભા કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિના આરોગ્ય સંબંધિત રેકોર્ડનો ડિજિટલ રીતે સંગ્રહ કરવામાં આવે છે. આ એકાઉન્ટમાં વ્યક્તિના રોગ, લીધેલ સારવાર, તબીબી રિપોર્ટ વગેરેનો સંગ્રહ કરવામાં આવે છે. વ્યક્તિની આ તમામ માહિતીઓ સંપૂર્ણ ખાનગી અને સુરક્ષિત રાખવામાં આવે છે.

'આભા' કાર્ડ એટલે 'આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ'. ભારત સરકારના ડિજિટલ મિશનના ભાગ રૃપે આયુષમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન આભા અંતર્ગત ભારતના તમામ નાગરિકોને આભા આઈડી પ્રદાન કરવાનું છે. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એ ૧૪ આંકડાનો યુનિક હેલ્થ આઈડેન્ટીફાયર નંબર છે, જેમાં વ્યક્તિના તમામ મેડિકલ રેકોર્ડસ સરળતાથી સાચવી તેમજ શેર કરી શકાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટરો , હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ઉપર 'આભા' કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪,૪પ,૪૧૩ આભા કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છેઃ આરોગ્યની વધુમાં વધુ યોજનાઓના લાભ પહોંચાડવાના આરોગ્યતંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

આભાથી થતા ફાયદા

(૧) તમામ હેલ્થ રેકોર્ડ આંગડીના ટેરવે ઉપલબ્ધઃ તમારા હેલ્થ રેકોર્ડને ડિજિટલી સ્ટોર કરો જેથી તમે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ જરૃરિયાત સમયે એક્સેસ કરી શકો.

(ર) સરળતાથી એક્સેસઃ આભા સાથે સંલગ્ન આરોગ્ય સેવાઓ સરળતાથી મેળવી શકો.

(૩) પેપરલેસ માહિતીઃ તમારા આરોગ્યને લગત તમામ માહિતી જેમ કે, રિપોર્ટસ, ડોક્ટર, પ્રિસ્ક્રિપ્શન બધુ જ ડિજિટલ.

(૪) ટેલિકન્સલટેશનઃ નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી ટેલિકન્સલટેશન મેળવો.

(પ) લાઈનોમાંથી મુક્તિઃ ઓપીડી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સુવિધા, હોસ્પિટલોની લાંબી લાઈનમાંથી મુક્તિ.

ઉલ્લેખનિય છે કે, આભા એ ડિજિટલ મિશન સાથે નાગરિકોને જોડવાનું પ્રથમ પગલું છે. આયુષ્માન ભારત હેલ્થ મિશનનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એક અદ્યતન આરોગ્ય ઈકો સિસ્ટમ બનાવવાનો છે. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા નાગરિકોને આભા કાર્ડ કઢાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

વૈશાલી રાવલીયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હોમિયોપેથીમાં એલર્જીનું નિદાન-સારવાર

એલર્જી એટલે શું? ક્યા કારણે થાય?

'મને ડસ્ટની એલર્જી છે, મને નટ્સ માફક નથી આવતું, મને બારેમાસ શરદીનો કોઠો રહે છે અને વારંવાર છીંકો આવે છે. આંખમાંથી અને નાકમાંથી પાણી આવે છે. થોડું પણ ઠંડુ પાણી પીવું એટલે ગળું પકડાઈ જાય છે', આ બધા શબ્દો આપણે રોજબરોજની વાતોમાં સાંભળ્યા હશે.

એલર્જી શું છે?

એલર્જી એટલે અતિ સંવેદનશીલતા. કેટલીવાર ચોક્કસ પદાર્થના સંપર્કમાં આવવાથી શરીરનું સંવેદનશીલ રોગ પ્રતિકારક તંત્ર ઉત્તેજનના અનુભવે છે. જે આપણા શરીરને માફક આવતું નથી. જે વસ્તુ કે પદાર્થની એલર્જી થાય તેને સાદી ભાષામાં 'એલર્જન' કહે છે. દરેક દર્દી માટે એલર્જન અલગ અલગ હોય છે જેમ કે ડસ્ટ અને ડસ્ટની જીવાત, પરાગરજ, ડૉડકૂટ કે કેટલીક જાતની કૂગ વગેરે... એલર્જિક શરદીમાં નાક આ એલર્જનને છીંક વડે બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. એલર્જી મુખ્યત્વે અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. શરીરના જુદા જુદા ભાગો પર એલર્જીની અસર પણ જુદી જુદી થાય છે જેમ કે એલર્જિક શરદી, એલર્જિક ખાંસી, આંખની એલર્જી, ચામડીની એલર્જી અને ફૂડ એલર્જી... અને આ એલર્જીના લક્ષણો બધા દર્દીઓમાં અલગ અલગ હોય છે. હાલ વાતાવરણમાં વ્હીકલના કારણે થતા ધૂમાડા અને ગેસ પદાર્થોને શ્વાસમાં જવાથી એલર્જિક અસ્થમા વધુ જોવા મળે છે. ઘણીવાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે થવાથી પણ નાકની અંદર આવેલા પટલમાં સોજો આવી જતો હોય છે, જેને એલર્જિક શરદી કહેવામાં આવે છે.

નિદાન

એલર્જીનું નિદાન નિદાન બે પ્રકારે થઈ શકે છે. (૧) સ્કીન પ્રિક્ટ્સ્ટ અને (ર) લોહીની તપાસ જેના દ્વારા ક્યા પ્રકારના ખોરાક કે દવાની એલર્જી છે એ જાણી શકાય છે.

હોમિયોપથીમાં એલર્જીની સારવાર

હોમિયોપેથિક સારવાર બિનહાનિકારક અને ખૂબ જ અસરકારક છે અને વપરાતી દવાઓ શરીરને કુદરતી રીતે મટાડે છે અને દવાઓની કોઈ આડઅસર પણ હોતી નથી. હોમિયોપેથી ચિકિત્સામાં માનસિક લક્ષણોને પણ ધ્યાનમાં લઈને સારવાર આપવામાં આવે છે અને દરેક એલર્જી માટે અલગ અલગ દવાઓ હોય છે.

ડુંગળીના વપરાશથી આંખ અને નાકમાંથી પાણી આવે છે અને આંખો લાલ થઈ જાય છે. જેનું કારણ કાચી ડુંટળીના રસમાં રહેલા એલીસીન, ફીસેટીન અને બીજા સલફ્રસ કમ્પાઉન્ડસ છે. જેનો ઉપયોગ હોમિયોપેથીમાં એલર્જીની દવા બનાવા માટે થાય છે અને એટલે જ એલર્જી જેવા જટિલ રોગોને જડમૂળથી કાઢવા માટે હોમિયોપેથીમાં અસરકારક અને ઉત્તમ સારવાર છે. આવા રોગોથી મુક્તિ અપાવવામાં હોમિયોપેથી સક્ષમ છે.

એક વખત એલર્જીની ટ્રીટમેન્ટ શરૂ કર્યા પછી ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી અને કહ્યા વગર દવા બંધ કરવી હિતાવહ નથી.

ડો. ડિમ્પી ગાંધી મો. ૯૯૮૦૮ ૯૧૨૫૨

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાજગીરીની વિરાયતન સંસ્થા કચ્છ સહિતના પ્રદેશો તથા વિશ્વના ૧૦ દેશમાં કરે છે માનવ સેવા

પરમ પૂજ્ય આચાર્ય ચંદનાજી (તાઈર્માં) ૨૬ જાન્યુ.ના ૮૮ વર્ષમાં પ્રવેશસેઃ

રાજગીરી–બિહાર એટલે એ પુનીત અને પવિત્ર ભૂમિ છે કે જયાં પ્રભુ મહાવીર સ્વામીના પાવન પગલા પડયાં છે. અને ખરા અર્થમાં આશીર્વાદ પામી છે. આવી મહાન અને પાવન ભૂમિ પર પ્રભુ મહાવીરના ઉપદેશો, સિદ્ધાંતો અને દેષ્ણાઓને ખરા અર્થમાં ચરીતાર્થ કરતાં પ્રચાર અને પ્રસારનું ઉત્તમ માઘ્યમ બનીને ઉભરી આવ્યા છે એક જૈન સાઘ્વીજી, કે જેઓ આચાર્ય ચંદનાજીના નામથી ખ્યાતી પામ્યા છે. અને તાંઈ મહારાજ ના વિશીષ્ટ ઉપનામથી પણ શ્રાવકોમાં ઓળખાય છે. તેમજ વખણાયા છે.

પૂ.આચાર્ય ચંદનાજી તા. ર૬ જાન્યુઆરીના પોતાના જીવનકાળના ૮૭ વર્ષ પૂર્ણ કરીને ૮૮ માં વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થતા અને ઉત્તમ સ્વાસ્થય સાથે મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમનો પરિચય આપવો અસ્થાને નહીં ગણાય.

ર૬ જાન્યુઆરી ૧૯૩૭ ના મહારાષ્ટ્રના ચાસ્કામનમાં કટારીયા પરિવારના સુશ્રાવક પિતા માણેકચંદજી અને સુશ્રાવિકા માતા પ્રેમકુંવરબાના ખોરડે પુત્રી રતન તરીકે જન્મયાં શકુંતલા સાંસારીક નામ સાથે તેમનો ઉછેર થયો ફકત ૩ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ, સમય જતાં તેમના નાનાજીની સલાહને અનુસરીને જૈન પૂ. સાઘ્વી સુમતીકુંવર સાથે જોડાયા કે જેથી જૈનત્વ અને જનસેવા વિષયક વધુ અભ્યાસ કરી શકે. માત્ર ચૌદ વર્ષની વયે જૈન દીક્ષા અંગીકાર કરી અમરમુની સંપ્રદાયના પૂજય ગુરૃદેવ ઉપાઘ્યાય અમરમુનિજી મહારાજે દિક્ષા આપી અને સાઘ્વી ચંદનાજી નામ આપ્યું. દીક્ષા પર્યાય દરમ્યાન જૈન સ્ક્રીત્પરના અભ્યાસ અર્થે ૧ર વર્ષ સુધી મૌન રહેવાની આકરી પ્રતિજ્ઞા લીધી. ઉપરાંત ભારતીય વિદ્યા ભવન, મુંબઈમાંથી દર્શનાચાર્યની ડીગ્રી મેળવી, પ્રયાગ સાહિત્ય રત્નની ઉપાધી મેળવી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નાવ્યન્યાય અને વ્યાકરણ વિષયોમાં શાસ્ત્રીની વિશેષ ઉપાધી મેળવી.

તેઓએ વર્ષ ૧૯૭ર થી બિહારના ગરીબીથી પ્રભાવિત વિસ્તારોમાં માનવતાવાદી સેવાકીય કાર્યોનો શુભારંભ કર્યો ૧૯૭૪ માં વિરાયતનની સ્થાપના કરી જે હાલ વિશ્વના ૧૦ રાષ્ટ્રોમાં ફેલાયેલી છે. વિરાયતનની સંસ્થા ઃ– રાજગૃહી (ઝારખંડ) – પાવાપુરી – લછુઆર – જખનિયા (કચ્છ) – રૃદ્રાણી (કચ્છ) – પાલીતાણા – વ્યોમ આગરા – ઓશીયાજી (રાજસ્થાન) – સંચોર – ખંડોબા (પૂના) – તથા ઈન્ટરનેશનલ સંસ્થા અમેરિકા – બ્રિટન – કેન્યા – નેપાલ – દુબઈ દેશ–વિદેશ દરેક જગ્યાએ સંસ્થાઓ કાર્યરત છે. વિરાયતન દ્વારા શાળાઓ, કોલેજીસ ઉપરાંત હોસ્પિટલ્સનું અદ્યતન સંચાલન કરવામાં આવ્યું છે. ઉપરાંત જરૃરતમંદો માટે વ્યવસાયિક તાલીમી કાર્યક્રમોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. કુદરતી આપ્ત્તિઓ બાદ પ્રભાવીત પરિસ્થિતિઓના પુનઃવસવાટ માટે પણ વ્યાપક રીતે સેવાઓ કરવામાં આવેલ છે. જૈનોની પવિત્ર તીર્થભૂમિ અને શ્રેષ્ઠ યાત્રાધામ રાજગીરીમાં જૈન તીર્થકંરો યોજનાનું કામ કરવામાં આવેલ છે.

પરમ પૂજય ગુરૃદેવ ઉપાઘ્યાય શ્રી અમરમુનિજીની પ્રેરણા અને આશીર્વાદ પરમ શ્રદ્ઘેય આચાર્યશ્રી ચંદનાજી દ્વારા વિરાયતનનો પ્રારંભ સન ૧૯૭૩ માં રાજગીરી – બિહારમાં થયો. સેવા, શિક્ષા અને સાધનાના હેતુઓની સાથે માનવ કલ્યાણ અને સામાજિક વિકાસના કાર્યોમાં સમર્પિત વિરાયતન, એક સોશ્યોરીલિજીયસ આંતરરાષ્ટ્રીય સંસ્થાન છે. જે સેવાના માઘ્યમથી ભગવાન મહાવીરની કરૃણા અને અહિંસાની તેજસ્વિતાને અનેક લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે.

પરમ શ્રદ્ઘેય આચાર્ય શ્રી ચંદનાજીના નેતૃત્વમાં વિરાયતન–સમર્પિત અને કુશળ સાઘ્વી સંઘ, કાર્યકારિણી સમિતિના સદસ્ય અને ઉત્સાહિત સ્વયંસેવકોના સંયુકત પ્રયત્નોથી ચાલતી સંસ્થા છે. સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ માટે વિરાયતનનું કાર્ય કોઈ જાતિ કે પંથ, ધર્મ કે સમુદાયના ભેદભાવ વગર સંપન્ન કરવામાં આવી રહ્યું છે. વિરાયતનનો પ્રયાસ છે કે એવું વાતાવરણ બનાવવામાં આવે જેમાં બધા લોકો, લાભાર્થી, સ્વયંસેવકો અને કાર્યકતાઓનો સહયોગ અને સર્વ હિતની વાત વિચારી શકે અને બીજાના કલ્યાણની સુંદર યાત્રામાં સહભાગી બની શકે. છેલ્લા ૪પ વર્ષોમાં વિરાયતને લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને પ્રોત્સાહન, સહયોગ અને નિસ્વાર્થ પ્રેમ દ્વારા તેમનામાં નવી આશાઓનો સંચાર કર્યો છે. આચાર્ય ચંદનાશ્રીજી જૈન ધર્મને તો વરેલા રહ્યા છે, સાથોસાથ જૈન સમાજને સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યા છે. સમાજના ઉત્થાન અર્થે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. તેઓશ્રી દૃઢતાપૂર્વક માને છે કે, ''જે સમાજ શિક્ષિત હોય તે સમાજ સદૈવ સુરક્ષીત હોય અને રહેશે જ. સમાજની દરેક પ્રકારની સેવાઓ પછી તે શિક્ષણ હોય કે આરોગ્ય, ધર્મ ઉપદેશની વાત હોય કે પછી ગરીબોના ઉત્થાનની બાબત હોય. પૂ. તાઈ ર્માં સદાય તત્પર, અગ્રેસર અને સમર્પિત રહ્યા છે. પાંચ દાયકા ઉપરાંતની તેમની આ સેવાઓની ભારત સરકારે રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લીધી અને તેને આપેલા આ ઉત્તમ યોગદાન બદલ તેમને વર્ષ–ર૦રર માં ''પદ્મશ્રી'' એવોર્ડથી વિભુષિત કરાયા અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના વરદ્ હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

શશીકાંત ઉદાણી મોે. ૯૪૨૭૨ ૪૦૬૭૮

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જોડિયાના "ફઈબા" રંભાબેને પોતાનું સમગ્ર જીવન દેશ સેવા માટે કર્યુ હતુ અર્પણઃ સાદગીની મિશાલ હતા

સ્વાતંત્ર્ય ચળવળમાં ગાંધીજીને અનુસરીને ઘણી ચળવળોમાં ભાગ લીધો અને જેલ સજા પણ ભોગવી હતી

ગુજરાત રાજ્યનો સ્વતંત્રતા સંગ્રામમાં અવિસ્મરણીય ફાળો રહ્યો છે. ત્યારે હાલાર પંથકના કણ-કણમાં શૂરવીરતા અને વીરરસ રહેલો છે. આ વાત છે જોડીયા ગામના 'ફઈબા' ની, જેમનું સમગ્ર જીવન દેશદાઝ અને માનવસેવાનો ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.

જામનગર જિલ્લામાં સ્થિત જોડીયા ગામનું ગૌરવ ગણાતા અને ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મહાન સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાની એવા રંભાબેન માધવજીભાઈ સુખપરીયા (ગણાત્રા) કે જેઓ 'ફઈબા' ના હુલામણા નામથી ઓળખાય છે. જોડિયાના નિવાસી નારાયણજી ગણાત્રાના પરિવારમાં રંભાબેનનો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૮૯૩ ના રોજ થયો હતો. તેમના માતાનું નામ પાનબાઈ હતું. રંભાબેનમાં નાનપણથી જ આધ્યાત્મિકતા અને સાદગી પૂર્ણ જીવન જીવવાના સદગુણ જોવા મળતા હતા.

વર્ષ ૧૯૦૮ માં રંભાબેનના જોડિયા નિવાસી માધવજીભાઈ નકારામભાઈ સુખપરીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ માત્ર ૧૯ વર્ષની યુવા વયે તેમને વૈધવ્ય પ્રાપ્ત થતા તેઓ પિતૃગૃહે પરત ફર્યા હતા. રંભાબેનના મોટાભાઈ કરાંચીમાં વ્યવસાય કરતા હોય રંભાબેન કુટુંબ સાથે કરાંચીમાં સ્થાયી થયા હતા. કરાંચીમાં વસવાટ દરમિયાન તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનું પ્રથમ પગથિયું સર કર્યું હતું. રંભાબેને એ જમાનામાં કે જ્યાં સ્ત્રીઓ માટે કોઈ અવકાશ ના હતો, ત્યારે ભાઈ હીરાલાલ સાથે તેઓએ જ્ઞાતિ સુધારણાની કામગીરી હાથ ધરી હતી. સમય જતા ભાઈ હીરાલાલ કરાંચીના નાયબ મેયર બન્યા. ત્યારબાદ તેઓ હીરાલાલભાઈના દરેક કાર્યમાં કદમથી કદમ મિલાવ્યા હતા.

હીરાલાલભાઈ સાથે કાર્ય કરવાથી તેઓ અનેક મહાનુભાવોના પરિચયમાં આવતા ગયા. સમય જતા રંભાબેન ગાંધીવાદી વિચારસરણીથી રંગાયા અને દેશને આઝાદી અપાવનારી પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ઝંપલાવ્યું. વર્ષ ૧૯૩૦ માં કોંગ્રેસનું અધિવેશન કરાંચીમાં ભરાયું હતું. મહાત્મા ગાંધીજીએ આ અધિવેશનમાં હાજરી આપી હતી અને રંભાબેન પોતાના ભાઈ હીરાલાલ સાથે આ અધિવેશનમાં ભાગ લેવા માટે ગયા. ગાંધીજીએ સભા પૂરી થયા બાદ ત્યાં હાજર બહેનોને સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આહવાન કર્યું અને ત્યાં રહેલી બહેનોમાંથી સૌથી પહેલું નામ રંભાબેને લખાવ્યું હતું. બસ, આ ક્ષણ તેમના જીવનની એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગઈ. આ ક્ષણથી રંભાબેને પોતાના સમગ્ર  જીવનને ગાંધીવાદી વિચારસરણીને રંગે રંગીને સમાજ અને રાષ્ટ્રના ચરણોમાં અર્પિત કરી દીધું હતું.

ગાંધીજીના આદેશ અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૧૯૩૨ માં રંભાબેને કરાંચીમાં દારૂ, વિદેશી માલના પેકેટિંગ તેમજ બહિષ્કારની પ્રવૃત્તિઓમાં મહિલા ટુકડીની આગેવાની લીધી હતી. પરિણામે બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી અને તેઓને છ માસની જેલની સજા ફટકારી. જેલવાસમાં તેઓને ઘણા કષ્ટો સહન કરવા પડ્યા હતા. જેલમાં થતા અન્યાયો સામે રંભાબેને જેલના સતાધીશો સામે ભૂખ હડતાલ ચલાવી હતી.

આ વર્ષો દરમિયાન તેઓએ ખાદી અપનાવી સ્વદેશી ભાવનાને આત્મસાત કરી હતી અને કરાંચીમાં મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિઓ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક એમ અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં રંભાબેન અગ્રેસર રહ્યા હતા. ૧૫ મી ઓગસ્ટ, વર્ષ ૧૯૪૭ ના રોજ ભારત આઝાદ થતાં ભારત- પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. ત્યારે રંભાબેન પોતાના પરિવાર સાથે માદરે વતન જોડિયા પરત ફર્યા અને ત્યાં સ્થાયી બન્યા. પોતાના ગામમાં પરત આવીને વતનનું ઋણ અદા કરવા અને સ્ત્રીઓની પરિસ્થિતિ સુધારવાના આશયથી સ્ત્રી ઉત્કર્ષ માટે ૮૭૫ રૃપિયાનો ફાળો ગામમાંથી એકત્ર કર્યો હતો. જેની મદદથી તેમણે જોડિયા ગામે 'સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા' ની વર્ષ ૧૯૫૦ મ ાં સ્થાપના કરી હતી.

સ્ત્રીઓના જીવનમાં શિક્ષણ, સંસ્કાર, સેવા, સ્વાવલંબન અને પવિત્રતાનું અજવાળું પાથરતી આ સંસ્થા બાલવાડી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળા, કન્યા છાત્રાલય, મહિલા તાલીમ વિકાસ કેન્દ્ર, કમ્પ્યુટર તાલીમ વર્ગો, વ્યવસાયલક્ષી તાલીમ વર્ગો, સર્વ રોગ નિદાન કેમ્પો, મહિલા ઉત્કર્ષ શિબિર જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી વટવૃક્ષ સમાન બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સમગ્ર દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે, 'મેરી મિટ્ટી મેરા દેશ' કાર્યક્રમ અન્વયે જોડિયાની પ્રખ્યાત ગાંધીવાદી સંસ્થા હુન્નરશાળામાં પૂજ્ય ફઈબાના નામની સ્વાતંત્ર સેનાની તરીકે એક તકતી રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત, હડિયાણા પ્રાથમિક કન્યાશાળાના શિક્ષિકા સુશ્રી બારૈયા દેવાંગીબેન અને રંભાબેનના પરિવારજનો દ્વારા રંભાબેન જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીના ઇતિહાસને જાહેર જનતા સમક્ષ ઉજાગર કરવા માટે નિસ્વાર્થ ભાવે પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોડીયા હુન્નરશાળાએ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજમાં સેવાની સુગંધ મહેકાવી છે. દેવાંગીબેન અને સુખપરીયા પરિવાર એ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે, દેશસેવા અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરવા માટે દેશનો એક-એક નાગરિક આગળ આવી શકે છે.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર ભાગીદારી બદલ સ્વતંત્રતાના ૨૫ માં વર્ષે તત્કાલીન વડાપ્રધાનશ્રીએ તારીખ ૧૫ મી ઓગસ્ટ ૧૯૭૨ના રોજ શ્રીમતી રંભાબેન માધવજીભાઈ સુખપરીયાને તામ્રપત્ર ભેટ અર્પણ કરીને તેમને સન્માનિત કર્યા હતા. તારીખ ૨૨ ડિસેમ્બર ૧૯૮૯ ના ૯૬ વર્ષની વયે પોતાની માતૃસંસ્થા હુન્નર શાળામાં શ્રીજી ચરણ પામ્યા હતા. પરંતુ તેઓએ પ્રજ્વલિત કરેલા સેવા અને દેશપ્રેમના દીપકની જ્યોત તેઓના મહાન કાર્યોની સાક્ષી પૂરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સોમયજ્ઞ શુદ્ધ વિષ્ણુયાગ છે... જેની પરિક્રમાથી મળે છે સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણાનું ફળ

જામનગરમાં તા. ૨૫ થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન બાબુભાઈ લાલ ટ્રસ્ટ દ્વારા મહાસોમયાગ મહોત્સવ યોજાનાર છે

''છોટી કાશી'' જામનગરના આંગણે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) પરિવાર દ્વારા આગામી તા.૨૫ થી ૩૦ દરમીયાન વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવનું આયોજન લાલ પરિવારની વાડી (ખંભાળીયા રોડ-જુની આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે)માં કરવામાં આવ્યું છે. આ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

જામનગરના આંગણે આ ઐતિહાસિક આયોજન થયું છે ત્યારે સોમયજ્ઞનું શાસ્ત્રોની દૃષ્ટીએ જે મહત્ત્વ છે તેનો પરિચય આપવામાં આવ્યો છે.

સોમયજ્ઞ એ પરબ્રહ્મ પરમાત્માના ભજનનો યજ્ઞીય પ્રકાર છે. સોમ યજ્ઞમાં વપરાતી સોમવલ્વી/ સોમલતા એ પરબ્રહ્મનું સ્વરૃપ માનવામાં આવે છે. સોમયજ્ઞમાં થતી વિધિ ભક્તિમાર્ગીય સેવાનું કર્મમાર્ગીય પ્રતિરૃપ છે. જેમ ભગવદર્શનનો મહિમા છે તેમ સોમયજ્ઞના દર્શનનો પણ મહિમા છે. સોમયજ્ઞના મંડપને સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે. સોમયજ્ઞની પરિક્રમા એ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમાનું ફળ આપે છે.

સોમયજ્ઞ શુદ્ધ વૈદિક વિષ્ણુયાગ છે. આ યજ્ઞમાં સાધારણ યજ્ઞોની જેમ 'સ્વાહા' નહીં પણ 'વષ્ટ' નું ઉચ્ચારણ કરીને વૈશ્વાનર અગ્નિમાં આહૂતિ અપાતી હોય છે. આ સોમયજ્ઞ આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો એવો સર્વાતૂષ્ટ યજ્ઞ છે કે જેના ગૌરવ અને સર્વતોમુખી મહત્ત્વની બીજા કોઈ યજ્ઞ સાથે સરખામણી ન થઈ શકે.  જીવનતત્ત્વઃ સોમ વિષ્ણુનું નામ છે. સોમ ચંદ્રમાનું નામ છે. સોમ એક એવું જીવનતત્ત છે. જેને જીવનનાં પ્રત્યેક બિંદુમાં સમુદ્રની જેમ લહેરાતું જોઈ શકાય છે. તેવું સૂત્ર આપણને વૈદિક સિદ્ધાંતથી શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. સોમ સંગઠન, સભ્યતા, સફળતા, સંપન્નતા, સુખ, સમન્વય તથા સામાજિકતાનું સૂત્ર છે.  પ્રાણીમાત્રના કલ્યાણ માટેઃ જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજી, જેઓ સાક્ષાત્ વેદમૂર્તિ હતા, તેમને શ્રીયજ્ઞ નારાયણ ભગવાને પ્રસન્ન થઈને આજ્ઞા આપી હતી કે તમારા કુળમાં જ્યારે ૧૦૦ સોમયજ પૂર્ણ થશે ત્યારે હું સ્વયં આપના કુળમાં પ્રગટ થઈને સનાતન તેમજ વૈષ્ણ ધર્મની રક્ષા કરી પ્રાણી માત્રના કલ્યાણ માટેનો માર્ગ બતાવીશ.

અક્ષય ફળનું સૌભાગ્ય

સોમયજ્ઞમાં વેદોનો સમસ્ત વૈજ્ઞાનિક ક્રમ યજ્ઞદર્શન તથા વેદની ઋચાઓનાં શ્રવણનું અદ્ભુત મહત્વક છે. પીળા અક્ષત દ્વારા આશીર્વાદ લેનારને અક્ષય ફળ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અનાહુડઘ્વરંગચ્છેત્ લોકોએ યજ્ઞમાં આમંત્રણ વિના દર્શન કરવાં જવું જોઈએ.  સૌમયજ્ઞનો હેતુઃ આ સોમયજ્ઞ સનાતન વૈદિક સંસ્કૃતિની રક્ષા માટે, વિશ્વકલ્યાણ માટે, વૈશ્ર્વિક શાંતિ માટે, પર્યાવરણની શુદ્ધિ માટે, શક્તિનાં સૂત્ર સાથે સંબંધ જોડવા માટે કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યજ્ઞય પરંપરાનું અન્વેષણ- પરીક્ષણ કરતાં જોવા મળ્યું છે કે યજ્ઞનો પ્રભાવ, શુદ્ધ અને સાત્ત્વિક હોય છે. માનવ સમાજના હિત માટે સોમયજ્ઞથી વિશેષ એવો કોઈ પ્રકાર નથી કે જે સ્વાસ્થ્ય, શક્તિ, આત્મતેજ, બળ, આયુ, સંપન્નતા તથા સમૃદ્ધિના માધ્યમથી જીવનનો વિકાસ કરે.

આપણે ભારતીય છીએ. આપણને ભારતીયતાનું ગૌરવ છે. આપણે વૈદિક સનાતન ધર્માવલંબી છીએ, આપણને ભારતીય વૈદિક સંસ્કૃતિમાં આસ્થા, શ્રદ્ધા અને પ્રેમ હોવો જોઈએ. તો આવો... આપણું સૌભાગ્ય માનીને તેમજ પવિત્ર કર્તવ્ય સમજીને આપણે આ ભવ્ય અગ્નિષ્ટોમ મહાસોમયજ્ઞના મંગલ મહોત્સવમાં સેવા-દર્શનના સૌ ભાગ્યશાળી બનીએ.

રાષ્ટ્રની ઉન્નતિની ભાવના

યજ્ઞમાં રાષ્ટ્રોન્નતિની ઉદાત્ત ભાવના હૃદયમાં ધારણ કરી, યજ્ઞભૂમિનું માતૃભૂમિના સ્વરૃપે પૂજન કરી, ત્યાર પછી યજન કરવામાં આવે છે. ગીતાજી અનુસાર યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. વરસાદ થવાથી અનાજ ઉત્પન્ન થાય છે. આ રીતે ધન- ધાન્યથી હરીભરી બનેલી માતૃભૂમિ પ્રસન્ન થાય છે. સમગ્ર જન સમાજમાં આનંદની લહેર ફેલાઈ જાય છે. યજ્ઞ માત્ર માનવી નહીં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાથી સભર એવું વિશ્વકલ્યાણમય દિવ્ય અનુષ્ઠાન છે.

યજ્ઞ સ્વાસ્થ્યની ઉન્નતિ

યજ્ઞના અગ્નિમાં વનસ્પતિના સ્થૂળરૃપમાં વિનિયોગ થાય છે. સૂક્ષ્મ રૃપે વનસ્પતિ (ઔષધિઓનો) પ્રભાવ યજ્ઞના ધુમાડા દ્વારા સમગ્ર વાયુમંડળમાં ફેલાઈ જાય છે. તેનાથી પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ અને આકાશમાં રહેલા કીટાણુઓ નિષ્ક્રિય થઈ જાય છે. યજ્ઞ પર્યાવરણ પ્રદૂષણને દૂર કરી, વાયુમંડળને શુદ્ધ કરે છે. પરિણામે પ્રાકૃતિક પર્યાવરણ અને વાયુમંડળની શુદ્ધિ થાય છે. માનવશરીરની સૂક્ષ્મ કોશિકાઓ તેમજ મન અને મસ્તકમાં યજ્ઞનો ધુમાડો સુક્ષ્મરૃપે પોતાનો પ્રભાવ પાડે છે. જેનાથી માનવનો સ્વભાવ બદલાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, ભય, દ્વેષ જેવા શત્રુ (શરીરરૃપી ઘરમાંથી) ભાગી જાય છે. વનસ્પતિ ઔષધિઓના ધુમાડાથી માનસિક તનાવ દૂર થાય છે.

શ્રી વલ્લભકુળ પરંપરામાં સોમયજ્ઞનું મહત્ત્વ

યજ્ઞશૃંખલાનો પ્રારંભ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીએ ૩૨ સોમયજ્ઞ કરીને ભગવદ્ આજ્ઞાનું પાલન કર્યું. તેમના પુત્ર શ્રી ગંગાધરજીએ ૨૮ સોમ યજ્ઞો કર્યા. તેમના પુત્રશ્રી ગણપતિ ભટ્ટે ૩૦ સોમયજ્ઞ પૂરા કર્યા હતા તેમને ત્યાં શ્રીવલ્લભ ભટ્ટજી નામે પુત્ર થયા જે સંપૂર્ણ ગુણવાન સૂર્ય જેવા તેજસ્વી હતા સ્વહસ્તે ૫ સોમયજ્ઞો કર્યા, તેમના પુત્ર શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ  ૫ સોમયજ્ઞો કર્યા. આ પ્રકારે સોમયજ્ઞોનાં ફળસ્વરૃપે મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્યનો પ્રાદુભાવ થયો. ત્યારથી શ્રી વલ્લભ કુળ પરંપરામાં સોમયજ્ઞનું અનેરૃ મહત્ત્વ છે.

સોમયજ્ઞમાં ભિક્ષાનું મહત્ત્વ

આ યજ્ઞમાં ભિક્ષાને સનિહાર કહેવામાં આવે છે. નિયમ અનુસાર રાજા પણ અશ્વમેઘ યજ્ઞ કે રાજસૂય યજ્ઞ કરે ત્યારે તેમને પણ ભિક્ષા માગવી જોઈએ. આ વિધિ દરેક યજ્ઞમાં ત્રણથી પાંચ વાર કરવામાં આવે છે. યજમાન મૃગચર્મમાં ભિક્ષાગ્રહણ કરે છે. બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાને ભિક્ષા માંગી હતી, તેનું રહસ્ય આ પ્રમાણે છે. બલિરાજા અસુર હતા, યજ્ઞ કરાવનાર શુક્રાચાર્ય અસુર હતા.

બલિરાજા પાસે મુદ્રારાક્ષસ (ધનસંપત્તિ) પણ આસુરી હતી. તેથી તેમના દ્વારા કરવામાં આવતો યજ્ઞ પણ આસુરી થઈ જાય. એટલે તે અસુર યજ્ઞને સુર (દૈવ) મય બનાવવા માટે વામન ભગવાને મુદ્રારાક્ષસનો-આસુરી સંપત્તિનો ભિક્ષા લઈને ઉદ્ધાર કર્યો. આ મુદ્રાને દૈવી સંપત્તિ (લક્ષ્મીદેવી) નું સ્વરૃપ પ્રદાન કરી બલિરાજાનો યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. પ્રત્યેક સોમયજ્ઞ પછી એક હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું વિધાન છે. યજમાન તેની અનુકૂળતા પ્રમાણે કૃષ્ણાર્પણ કરે છે.

જયદીપ ગઢીઆ બોરીવલી-મુંબઈ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચાલો... સાથે મળીને અન્ય વ્યક્તિના જીવનમાં દૃષ્ટિ આપીને રોશની પાથરીએ

મૃત્યુ પછી નેત્રદાન માટે આહ્વાન

નેત્રદાન મૃત્યુ પછીના ૬ કલાક સુધીમાં કરવાનું હોય છે. ત્યારપછી આંખો નકામી બની જાય છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને ઓખાથી પણ દર્દીઓ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતી વખતે તેમજ ખેતરનો કચરો ઊડવાથી બાળકોમાં આંખનું ઈન્ફેક્શન વધુ જોવા મળે છે. તેથી આંખમાં નાનકડું ઈન્ફેક્શન પણ હોય, તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આઈ ડોનેશનના મોટાભાગના કિસ્સામાં વ્યક્તિનું શરીર નવી આંખોનો સ્વીકાર કરી લે છે. નેત્રદાનની વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. બજારમાં રૃા. ર૦૦૦ ની કિંમત ધરાવતા આંખના ટીપાં, ક્રીમ અને ટ્યુબ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.

અત્યારે નેત્ર વિભાગના વડા ડો. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડો. વૈભવ પવાર, ડો. અદીબા હુસૈન, ડો. પૂર્વા ત્રિવેદી, પાયલ સહિત ૩૦ ડોક્ટર્સ દિવસ-રાત લોકોની સારવાર અર્થે કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વપ્રસિદ્ધ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરાએ નેત્રદાન કરવા માટેનો સંકલ્પ કર્યો છે. નેત્રદાન ઝુંબેશમાં અન્ય જાણીતા કલાકારો અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, રાણી મુખર્જી અને આલિયા ભટ્ટે પણ અંગદાનના મહત્ત્વ અને પ્રચાર-પ્રસારમાં અગત્યની ભૂમિકા ભજવી છે.

નેત્રદાન કરવા માટે ઉંમર, જાતિ, ધર્મ કે અન્ય કોઈ બાધ નથી. નેત્રદાન એ સંપૂર્ણપણે તમારી ઈચ્છા પર આધાર રાખે છે. ચશ્મા પહેરવાથી, મોતિયો થવો કે તમારૃ બ્લડગ્રુપ અલગ હોય, આ સમસ્યાઓથી નેત્રદાનમાં કોઈ મુશ્કેલી થતી નથી. વ્યક્તિના મૃત્યુ પછી તરત જ નજીકની હોસ્પિટલ કે આઈ બેંકને જાણ કરવાની હોય છે.

નેત્રદાન મૃત્યુ પછીના ૬ કલાકની અંદર જ હોવું જોઈએ. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી નેત્રદાનનો સંદેશો જરૃરથી ફેલાવવો જોઈએ. નેત્રદાન કરવા માટે કોઈ મહત્તમ વયમર્યાદા નથી. અત્યારે વિશ્વભરમાં ઓછામાં ઓછા ર.ર બિલિયન લોકો દૃષ્ટિની ક્ષતિ ધરાવે છે. જેમાંથી ઓછામાં ઓછા ૧ બિલિયન લોકોની દૃષ્ટિની ક્ષતિ એવી રીતે બની હતી કે, જેને અટકાવી શકાઈ હોત, આ માટે જ વ્યક્તિ ચક્ષુદાન કરે તે અતિ આવશ્યક છે.

આઈ બેંક, કે જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન માટે દાન કરેલી આંખોની જાળવણી કરે છે, અને જરૃરિયાત ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચાડે છે. વિશ્વમાં સૌ પ્રથમવાર વર્ષ ૧૯૦પ માં સફળ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૪૪ માં સૌ પ્રથમ આંખ/આઈ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં ગત્ વર્ષમાં પ૪૦૦ જેટલા ચક્ષુદાન કરવામાં આવ્યા છે. અત્યારે રાજ્યમાં અંધત્વ દર ૦.૯ ટકા થી ઘટીને ઉ.૩ ટકા થયો છે. રાજ્યમાં ચક્ષુદાનનું પ્રમાણ પપ ટકા જેટલું જોવા મળ્યું છે. વર્ષ ર૦રર-ર૩ માં કેન્દ્ર સરકારના 'રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન' અંતર્ગત ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં ચક્ષુદાનની બાબતમાં અને આંખના રોગોની સારવાર કરવાની બાબતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

જલકૃતિ કે. મહેતા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાણ ગામે બોરમાં પડેલી એન્જલને બચાવવા ગોવિંદ નંદાણીયાની એન્ડોસ્કોપ કેમેરા સાથે નિઃસ્વાર્થ સેવા

અફસોસ એ રહ્યો કે બાળકી બચાવી શકાઈ નહીં ઃ સેવાભાવિ યુવાનનો વસવસોઃ

જામનગર તા. ૩ઃ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે ખુલ્લા બોરમાં પડી ગયેલ બાળકીને તમામ તંત્રએ અથાક પ્રયાસો બાદ સલામત રીતે બહાર કાઢી લીધી હતી, પણ નસીબ જોગે બાળકીને બચાવી ન શકાઈ, આઠ કલાક ઉપરાંત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર, આર્મી, પોલીસ, વહીવટી પ્રસાસન અને અંતિમ ઘડીઓમાં પહોચેલ એનડીઆરએફની ટીમ સહિતનાઓની સયુંકત મહેનતના પરિણામે બાળકીને બોરની બહાર કાઢી લેવામાં આવી, પરંતુ આ તમામ તંત્રની હાજરીમાં જો કોઈ ખાનગી વ્યક્તિ અતિ મહત્ત્વની સાબિત થઇ હોય તો તે છે 'ગોવિંદ નંદાણીયા'

બોર અંદરની સચોટ સ્થિતિ સંદર્ભે પ્રોફેસનલ કામ કરતા આ યુવાને એન્ડોસ્કોપ કેમેરા ટેકનોલોજીની કીટ ઉઠાવી સ્થળે પહોચી, એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર અન્ય તંત્રની સાથે ખંભેથી ખંભો મિલાવી રેસ્ક્યુ ઓપરેશનમાં ગોવિંદભાઈ જોડાઈ ગયા હતાં.

પોતાના જ આંગણામાં માતાની નજર સામે રમતી અઢી વર્ષની બાળા એન્જલ રમતા રમતા ખુલ્લા બોર પર ઉપર રાખેલ ડોલ પર બેસે છે અને ડોલનું તળિયું તૂટી જતા બાળકી બોર અંદર ૩૦ ફૂટ નીચે સરકી જાય છે, પછી શરુ થયું બાળકીને ઉગારી લેવા ઓપરેશન એન્જલ, પ્રથમ પહોચી ૧૦૮ની ટીમ, બોર અંદર જીવણ મરણ વચ્ચે જોલા ખાતી બાળકીને આરોગ્યની ટીમ દ્વારા ઓક્સીજન આપવાનું કાર્ય શરુ કર્યું, ત્યારબાદ ખાનગી કંપનીઓ અને દ્વારકા-જામનગરની ફાયરની ટીમ પહોચી, પોલીસે પણ શરૂઆતથી મોરચો સંભાળ્યો, જીલ્લા સમાહર્તા ખુદ સ્થળે પહોચ્યા અને બચાવ કાર્યની ટીમોને માર્ગદર્શન આપવામાં છેક સુધી સાથે રહ્યા.

આ સમગ્ર ઓપરેશનમાં મહત્ત્વનું અને અભિન્ન અંગ કહી શકાય એવું કાર્ય રહ્યું હોય તો તે છે સીસીટીવી કેમેરા ઓપરેટર ગોવિંદભાઈ નંદાણીયા, પોતાની આધુનિક એન્ડોસ્કોપ કેમેરા કીટ સાથે તાત્કાલિક સ્થળ પર પહોચી રેસ્ક્યુ કાર્યમાં જોતરાયા, પોતાની કેમેરાની મદદ થી તાત્કાલિક બાળકીની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો, ફાયર, આર્મી, પોલીસ, એનડીઆરએફ  સહિતની અન્ય બચાવ ટુકડીઓ સાથે સમન્વય સાધી ગોવિંદભાઈ ઓપરેશનનો મુખ્ય હિસ્સો બન્યા.

ત્રીસ ફૂટ ઊંડે બોરમાં ફસાયેલ બાળકીને ઉગારી લેવા આ યુવાને સખ્ત પ્રયાસો કર્યા, બાળકીના બંને હાથમાં રસ્સીના ફાસલા નાખવાથી માંડી બાળકીને ઉંચે ખેચવા સહિતની તમામ સ્થિત પર સચોટ રીતે કામ આવ્યા ગોવિંદભાઈના કેમેરા અને તેની નિસ્વાર્થ સેવા, સમગ્ર ગ્રામજનોની સાથે ન્યુજ ચેનલમાં ચાલતા લાઈવ ઓપરેશન નિહાળતા લોકો પણ આ ઓપરેશનની એક એક ક્ષણ નિહાળી એન્જલ સલામત રીતે બહાર આવે તેવી પ્રાર્થનાઓ કરતા જોવા મળ્યા હતા.

 કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢી લેવાઈ પરંતુ જીવ ન બચાવી શકાયો પરંતુ તમામ બચાવ કાર્યમાં જોડાયેલ તમામ તંત્રની મહેનત કાબેલેદાદ હતી. રેસ્ક્યુમાં સૌથી અગત્યની ભૂમિકા ગોવિંદભાઈની રહી હોવાનું ખુદ કલેકટર શર્માએ જણાવ્યું હતું. પોતાની આધુનિક કીટ સાથે નિશ્વાર્થ ભાવે રેસ્ક્યુમાં જોડાયેલ ગોવિંદભાઈની કામગીરીના કલેકટરે વખાણ કરી બિરદાવી હતી. ગોવિંદભાઈએ આધુનિક એન્ડોસ્કોપ કેમેરા કીટ વસાવી છે અને દ્વારકા જીલ્લાના બોરના તળિયા સુધીની સચોટ સ્થિતિનું અવલોકન કરવાનું કાર્ય કરે છે. 

પોતાની કીટ લઇ ઓપરેશન એન્જલમાં જોડાયેલ ગોવિંદભાઈએ પોતાની સેવા અંગે જણાવતા કહ્યું કે, કેમેરાને બોરમાં ઉતારી તાત્કાલિક બાળકીની કરંટ સ્થિતિનો તાગ મેળવ્યો, જો કે એક સમય એવો આવ્યો જયારે બોર સુધી પહોચતી ઈલેક્ટ્રીસીટી ખોરવાઇ ગઈ, પરંતુ દેશી જુગાડથી તાત્કાલિક વાયર અને સ્વીચબોર્ડ વચ્ચેનો વીજ પુરવઠો જીવંત કરી ફરી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયો હતો. બાળકીને બચાવવા નિસ્વાર્થ ભાવે સેવા કરવાનો મોકો મળ્યો એ મારા જીવનનો મહત્ત્વનું કાર્ય છે પરંતુ બાળકીને બચાવી ન શકાય તે અફ્સોસજનક છે, જેનો વસવસો કાયમ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00.check

હવામાન

close
Ank Bandh